અબ્દુલ કલામ: જીવન અને કવન

    અવુલ પાકીર જૈનાલબ્દીન અબ્દુલ કલામનો જન્મ ૧૫ ઓક્ટોબર,૧૯૩૧ના થયો હતો.તેમણે દેશના ત્રણ સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત કરવાનું ગૌરવ મેળવેલ છે: ૧૯૮૧ માં પદ્મભૂષણ,૧૯૯૧માં પદ્મવિભૂષણ અને ૧૯૯૭માં ભારત રત્ન. મિસાઇલ મેન તરીકે જાણીતા ભારતના 11માં રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું 27 જુલાઇ 2015એ શિલોંગ ખાતે નિધન થયું. તેઓ જ્યારે શિલોંગમાં આઇઆઇએમમાં લેક્ચર આપી રહ્યાં હતા ત્યારે અચાનક ઢળી પડ્યાં હતા.


   એ.પી.જે.અબ્દુલ કલામ જુલાઈ ૨૦૦૨માં ભારતના ૧૧માં રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા તે પહેલા તેઓ સંરક્ષણ અને અવકાશ સંસોધનના ક્ષેત્રમાં મુખ્ય વિજ્ઞાનીની ભૂમિકા નિભાવી ચુક્યા હતા.દેશના પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ યાનના વિકાસમાં તેમનું જવાબદારીભર્યું યોગદાન અવિષ્મરણીય છે. તેમણે ઈસરો અને ડીઆરડીઓમાં વિવિધપદો શોભાવ્યા.તે સાથે તેઓ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પણ રહ્યા.થોડો સમય તેઓ ચેન્નાઈની અન્ના યુનીવર્સીટીમાં પ્રોફેસર પણ રહ્યા.અબ્દુલ કલામનું જીવન હવે તેમનાજ શબ્દોમાં.

અખબારો ભેગાં કરી હું એ ઘરે ઘરે પહોંચાડતો

   હું સવારે ચાર વાગ્યે મારા શિક્ષક શ્રી સ્વામીયર પાસે ગણિત શીખવા જવા ઉઠી જતો.તે એક વિશિષ્ટ ગણિત શિક્ષક હતા અને વર્ષ દરમિયાન માત્ર પાંચ વિદ્યાર્થીઓને મફત ટ્યુશન આપતા.આ બધા વિદ્યાર્થીઓ માટે તેમની એક આકરી શરત રહેતી તે એ હતી કે તે બધા તેમની પાસે સવારે પાંચ વાગ્યે સ્નાન કરી શીખવા આવે.હું જયારે ટ્યુશનમાંથી પાછો આવતો ત્યારે મારા પિતા મને નમાજમાં લઈ જવા તથા મદ્રેશામાં કુરાને-શરીફ શીખવા લઈ જવા રાહ જોતા હોય.તે પૂરું કર્યા પછી હું  ત્રણ માઈલ દુર આવેલ રામેશ્વરમ રોંડ રેલ્વે સ્ટેશને છાપાના બંડલ લેવા પગે જતો જે ધનુષકોડી મેલ પ્રસાર થાય તેમાંથી ફેકાયા હોય.આ છાપા લઈ સમગ્ર રામેશ્વરમમાં ફરી વળતો.આખા શહેરમાં છાપા વ્હેચનાર હું પ્રથમ હોઉં.ત્યાર પછી આઠ વાગ્યે હું ઘેર પાછો આવતો.મારી માં હું અભ્યાસ અને કામ સાથે સાથે કરતો હોવાથી મારા બીજા ભાઈ બહેનો કરતા મને ભલે સાદો પણ વધારે નાસ્તો આપતાં.સાંજે શાળા પૂર્ણ થયા પછી હું ફરી ગ્રાહકો પાસેથી પૈસા ઉગરાવવા નીકળતો.
     તે દિવસો દરમિયાન બનેલ એક ઘટના આજે પણ મારા મનમાં તાજી છે.મારા બધા ભાઈ બહેનો સાથે હું પણ ભોજન કરતો હતો અને મારીમાં મને રોટલી આપ્યેજ જતા હતા(અમે ચોખા ખાનાર લોકો હતા અને ચોખા પૂરતા મળતા નહોતા,પણ ઘઉંનું રેશનીંગ હતું) મેં જયારે ભોજન પૂરું કર્યું ત્યારે મારા મોટાભાઈએ મને એક ખૂણામાં લઈ જઈ ઠપકો આપ્યો કલામ,તને ખબર છે કે શું બની રહ્યું છે?તું રોટલી ખાધે રાખતો હતો અને માં તને આપ્યે રાખતી હતી તેને પોતાની બધી રોટલી આપી દીધી.અત્યારે ખુબ તકલીફભર્યો સમય ચાલે છે.તારે એક જવાબદાર પુત્ર બનવાની જરૂર છે અને માને ભૂખી મત રાખ.પ્રથમ વાર હું અંદરથી ધ્રુજી ઉઠ્યો અને મારી જાત પર કાબુ ના રાખી શક્યો.હું મારી માં પાસે દોડી ગયો અને તેને વળગી પડ્યોહું ભણતો એ દિવસોમાં કેરોશીનના ફાનસનો ઉપયોગ થતો હતો.કેરોશીન પૈસા આપી ખરીદવું પડતું એટલે ઘરમાં ફાનસ માત્ર સાંજે સાતથી નવજ સળગાવવામાં આવતું,પરંતુ ભણવા તરફનો મારો ઝોક જોઇને માએ મારે માટે એક નાનકડું ફાનસ ખરીદેલું, જેના અજવાળે હું રાતે ૧૧ સુધી ભણી શકતો.મારી માએ બાળપણમાં મને સાથ ન આપ્યો હોતતો હું અહી સુધી ક્યારેય  પહોચી ન શકત.
        અબ્દુલ કલામે નીચે મુજબ પુસ્તકો પણ લખ્યા છે 




           
    

0 Comments:

ટિપ્પણી પોસ્ટ કરો