ભારત સરકારે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ બદલીને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કરી નાખ્યુ છે. ધ્યાનચંદને ભારત રત્ન આપવાની માંગ વર્ષોથી થઇ રહી છે. આ દરમિયાન આપણે જાણીયે કે આ ભારત રત્ન એવોર્ડ શું છે અને તે કેમ મહત્વનો છે.
ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે. શરૂઆતમાં આ સન્માન ફક્ત કળા, વિજ્ઞાન, સાહિત્ય અને જાહેરસેવાનાં ક્ષેત્રમાં પ્રદાન કરનારી વ્યક્તિઓને જ આપવામાં આવતું હતું. પણ ડિસેમ્બર ૨૦૧૧માં કરેલા સુધારા મુજબ આ ક્ષેત્રને વિસ્તૃત કરીને 'કોઇપણ ક્ષેત્રમાં માનવસેવાના પ્રયાસ' બદલ આપવામાં આવે છે. આ પુરસ્કારની સ્થાપના ૨ જાન્યુઆરી ૧૯૫૪ એ સમયના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સન્માન માટે દર વર્ષે ભારતના વડાપ્રધાન દ્વારા ભારતના રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવે છે. દર વર્ષે વધુમાં વધુ ત્રણ નામોની ભલામણ કરી શકાય છે. આ સન્માન મેળવનારી વ્યક્તિઓને રાષ્ટ્રપતિનાં હસ્તાક્ષરવાળું એક પ્રશસ્તિપત્ર અને પીપળાનાં પાનના આકારનું સન્માનચિન્હ આપવામાં આવે છે. આ સન્માન સાથે કોઇ નાણાકીય પુરસ્કાર જોડાયેલ નથી. પણ ભારતરત્ન મેળવનારી વ્યક્તિને ભારતનાં શિષ્ટાચારની યાદીમાં સાતમાં ક્રમે ગણવામાં આવે છે. જોકે આ સન્માનને ઇલ્કાબની જેમ વાપરવાની બંધારણીય મનાઇ છે. આ પુરસ્કાર વડે સન્માનિત વ્યક્તિ પોતાના નામ આગળ કોઇ પદવી લખતા નથી.
ઇ.સ. ૧૯૫૪માં આ સન્માન સહુપ્રથમ આપવામાં આવ્યું હતું. આ સન્માન મરણોપરાંત આપવાની પહેલાં કોઇ જોગવાઇ ન હતી. પણ ૧૯૫૫ના સુધારા દ્વારા આ સન્માન મરણોપરાંત આપવાની છૂટ આપવામાં આવી. ઇ.સ. ૧૯૬૬માં ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને સર્વપ્રથમ મરણોપરાંત આ સન્માન આપવામાં આવ્યું. જાણીતા ક્રિકેટના ખેલાડી સચિન તેંડુલકર ફક્ત ૪૦ વર્ષે આ સન્માન મેળવી આ સન્માન મેળવનારા સહુથી યુવા વ્યક્તિ બન્યાં. તો જાણીતા સમાજસેવક ધોન્ડો કેશવ કર્વે ૧૦૦ વર્ષની ઉંમરે આ સન્માન મેળવીને સન્માન મેળવનારા સહુથી વડીલ વ્યક્તિ બન્યાં.સામાન્ય રીતે આ સન્માન ભારતના નાગરીકોને આપવામાં આવે છે. ઇ.સ. ૧૯૮૦માં ભારતની બહાર જન્મેલાં અને પાછળથી ભારતનું નાગરિત્વ મેળવનાર મધર ટેરેસાને આપવામાં આવ્યું. આ ઉપરાંત બે વિદેશી નાગરીકો, પાકિસ્તાનના નાગરીક ખાન અબ્દુલ ગફાર ખાન અને દક્ષિણ આફ્રિકાના નાગરીક નેલ્સન મંડેલાને પણ આ સન્માન આપવામાં આવ્યું છે. અન્ય પ્રતિષ્ઠિત પુસ્કારોમાં પદ્મવિભૂષણ,પદ્મભૂષણ તેમ જ પદ્મશ્રીનું નામ જાણીતું છે.
ઇતિહાસ
ઇ.સ. ૧૯૫૪માં રાષ્ટ્રપતિના સચિવાલય દ્વારા બે નાગરિક સન્માનો 'ભારતરત્ન' અને 'ત્રિસ્તરીય પદ્મવિભૂષણ' સન્માન આપવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ સન્માન ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ સન્માન માટે ભારતના સંવિધાનમાં કોઇ સ્પષ્ટ જોગવાઇ નથી.
આ સન્માનને બે વખત સ્થગિત કરવામાં આવ્યા હતાં. પ્રથમ વખત મોરારજી દેસાઈની સરકારે આ સન્માનોને સ્થગિત કર્યા હતાં. તેમણે ૧૩ જુલાઇ ૧૯૭૭ના રોજ બધા જ વ્યક્તિગત સન્માનો પાછા ખેંચી લીધા. આ ઉપરાંત પહેલાં જે વ્યક્તિઓને આ સન્માન આપવામાં આવ્યા હતાં, તેમને પણ આ સન્માન ઇલ્કાબની જેમ ન વાપરવાની સૂચના આપવામાં આવી. ૨૫ જાન્યુઆરી ૧૯૮૦ના રોજ આ પ્રતિબંધ પાછો ખેંચી લેવામાં આવ્યો. ઇ.સ. ૧૯૯૨માં આ સન્માન પર ફરીથી પ્રતિબંધ મુકવામાં આવ્યો. મધ્યપ્રદેશ અને કેરલ રાજ્યની વડી અદાલતમાં આ સન્માનોની બંધારણીય યોગ્યતાને પડકારતી બે જાહેર હીતની અરજીઓ કરવામાં આવી હતી. અંતે ડિસેમ્બર ૧૯૯૫માં સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ આ સન્માનો ફરીથી ચાલુ કરવામાં આવ્યાં.
પુરસ્કાર મેળવનાર મહાનુભાવોની યાદી
ક્રમ | નામ | ચિત્ર | જન્મ / અવસાન | વર્ષ | યોગદાન | ભારતીય રાજ્ય/દેશ |
---|---|---|---|---|---|---|
૧. | ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન | ![]() |
૧૮૮૮–૧૯૭૫ | ૧૯૫૪ | બીજા રાષ્ટ્રપતિ, પ્રથમ ઉપરાષ્ટ્રપતિ, દાર્શનિક. | તામિલ નાડુ |
૨. | સી. રાજગોપાલાચારી | ![]() |
૧૮૭૮–૧૯૭૨ | ૧૯૫૪ | છેલ્લા ગવર્નર જનરલ, સ્વાતંત્ર્ય સેનાની. | તામિલ નાડુ |
૩. | સી. વી. રામન | ૧૮૮૮–૧૯૭૦ | ૧૯૫૪ | નોબૅલ પારિતોષિક વિજેતા ભૌતિક શાસ્ત્રી | તામિલ નાડુ | |
૪. | ભગવાન દાસ |
|
૧૮૬૯–૧૯૫૮ | ૧૯૫૫ | દાર્શનિક, સ્વાતંત્ર્ય સેનાની. | ઉત્તર પ્રદેશ |
૫. | એમ.વિશ્વેસવરીયા | ![]() |
૧૮૬૧–૧૯૬૨ | ૧૯૫૫ | ભાખરા નાગલ બંધના નિર્માતા, સિવિલ એન્જી. | કર્ણાટક |
૬. | જવાહરલાલ નેહરુ | ![]() |
૧૮૮૯–૧૯૬૪ | ૧૯૫૫ | પ્રથમ વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની, લેખક. | ઉત્તર પ્રદેશ |
૭. | ગોવિંદ વલ્લભ પંત | ![]() |
૧૮૮૭–૧૯૬૧ | ૧૯૫૭ | સ્વાતંત્ર્ય સેનાની, ઉત્તર પ્રદેશનાં પ્રથમ મુખ્ય મંત્રી. | ઉત્તર પ્રદેશ |
૮. | ધોન્ડો કેશવ કર્વે | ![]() |
૧૮૫૮–૧૯૬૨ | ૧૯૫૮ | શિક્ષણશાસ્ત્રી, સમાજ સુધારક. | મહારાષ્ટ્ર |
૯. | ડો.બી.સી.રોય |
|
૧૮૮૨–૧૯૬૨ | ૧૯૬૧ | ડોક્ટર, રાજકારણી, પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી. | પશ્ચિમ બંગાળ |
૧૦. | પુરુષોત્તમદાસ ટંડન |
|
૧૮૮૨–૧૯૬૨ | ૧૯૬૧ | સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણશાસ્ત્રી. | ઉત્તર પ્રદેશ |
૧૧. | રાજેન્દ્ર પ્રસાદ | ![]() |
૧૮૮૪–૧૯૬૩ | ૧૯૬૨ | પ્રથમ રાષ્ટ્રપતિ, સ્વાતંત્ર્ય સેનાની. | બિહાર |
૧૨. | ડૉ. ઝાકીર હુસૈન |
|
૧૮૯૭–૧૯૬૯ | ૧૯૬૩ | ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, જામીયા મિલિયાના સ્થાપક. | આંધ્ર પ્રદેશ |
૧૩. | ડો.પી.વી.કાણે | ![]() |
૧૮૮૦–૧૯૭૨ | ૧૯૬૩ | સંસ્કૃતના વિદ્વાન. | મહારાષ્ટ્ર |
૧૪. | લાલ બહાદુર શાસ્ત્રી # | ![]() |
૧૯૦૪–૧૯૬૬ | ૧૯૬૬ | બીજા વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની. | ઉત્તર પ્રદેશ |
૧૫. | ઈન્દિરા ગાંધી | ![]() |
૧૯૧૭–૧૯૮૪ | ૧૯૭૧ | પ્રથમ મહિલા વડાપ્રધાન. | ઉત્તર પ્રદેશ |
૧૬. | ડો.વી.વી.ગીરી | ![]() |
૧૮૯૪–૧૯૮૦ | ૧૯૭૫ | ભૂ.પૂ.રાષ્ટ્રપતિ. | આંધ્ર પ્રદેશ |
૧૭. | કે.કામરાજ # | ![]() |
૧૯૦૩–૧૯૭૫ | ૧૯૭૬ | સ્વાતંત્ર્ય સેનાની. | તામિલ નાડુ |
૧૮. | મધર ટેરેસા | ![]() |
૧૯૧૦–૧૯૯૭ | ૧૯૮૦ | નોબૅલ વિજેતા (શાંતિ, ૧૯૭૯). | પશ્ચિમ બંગાળ |
૧૯. | વિનોબા ભાવે # | ![]() |
૧૮૯૫–૧૯૮૨ | ૧૯૮૩ | ભૂદાન ચળવળનાં પ્રણેતા. | મહારાષ્ટ્ર |
૨૦. | અબ્દુલગફાર ખાન | ![]() |
૧૮૯૦–૧૯૮૮ | ૧૯૮૭ | સરહદનાં ગાંધી, સ્વાતંત્ર્ય સેનાની. | પાકિસ્તાન |
૨૧. | એમ.જી.રામચંદ્રન # | ![]() |
૧૯૧૭–૧૯૮૭ | ૧૯૮૮ | ફિલ્મ અભિનેતા, તામિલ નાડુના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી. | તામિલ નાડુ |
૨૨. | ડૉ. ભીમરાવ રામજી આંબેડકર # | ![]() |
૧૮૯૧–૧૯૫૬ | ૧૯૯૦ | બંધારણ સભાના પ્રમુખ. | મહારાષ્ટ્ર |
૨૩. | નેલ્સન મંડેલા | ![]() |
૧૯૧૮-૨૦૧૩ | ૧૯૯૦ | રંગભેદ વિરોધી ચળવળનાં પ્રણેતા. | દક્ષિણ આફ્રિકા |
૨૪. | રાજીવ ગાંધી # | ![]() |
૧૯૪૪–૧૯૯૧ | ૧૯૯૧ | ભૂતપૂર્વ વડાપ્રધાન. | નવી દિલ્હી |
૨૫. | સરદાર વલ્લભભાઈ પટેલ # | ![]() |
૧૮૭૫–૧૯૫૦ | ૧૯૯૧ | સ્વાતંત્ર્ય સેનાની, લોખંડી પૂરૂષ. | ગુજરાત |
૨૬. | મોરારજી દેસાઈ | ![]() |
૧૮૯૬–૧૯૯૫ | ૧૯૯૧ | ભૂતપૂર્વ વડાપ્રધાન, સ્વાતંત્ર્ય સેનાની. | ગુજરાત |
૨૭. | અબુલ કલામ આઝાદ # | ![]() |
૧૮૮૮–૧૯૫૮ | ૧૯૯૨ | સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણશાસ્ત્રી. | પશ્ચિમ બંગાળ |
૨૮. | જે.આર.ડી.તાતા | ![]() |
૧૯૦૪–૧૯૯૩ | ૧૯૯૨ | મહાન ઉધોગપતિ. | મહારાષ્ટ્ર |
૨૯. | સત્યજીત રે | ![]() |
૧૯૨૨–૧૯૯૨ | ૧૯૯૨ | ફિલ્મ સર્જક, લેખક | પશ્ચિમ બંગાળ |
૩૦. | ડો.એ.પી.જે.અબ્દુલ કલામ | ![]() |
૧૯૩૧ - ૨૦૧૫ | ૧૯૯૭ | વૈજ્ઞાનિક, ભૂ.પૂ. રાષ્ટ્રપતિ. | તામિલ નાડુ |
૩૧. | ગુલઝારીલાલ નંદા | ![]() |
૧૮૯૮–૧૯૯૮ | ૧૯૯૭ | સ્વાતંત્ર્ય સેનાની, ભૂ.પૂ. વડાપ્રધાન. | પંજાબ |
૩૨. | અરુણા અસફઅલી # |
|
૧૯૦૮–૧૯૯૬ | ૧૯૯૭ | સ્વાતંત્ર્ય સેનાની. | પશ્ચિમ બંગાળ |
૩૩. | એમ.એસ.સુબ્બુલક્ષ્મી | ![]() |
૧૯૧૬–૨૦૦૪ | ૧૯૯૮ | શાસ્ત્રીય ગાયિકા. | તામિલ નાડુ |
૩૪. | સી.એસ.સુબ્રહ્મણ્યમ્ | ![]() |
૧૯૧૦–૨૦૦૦ | ૧૯૯૮ | સ્વાતંત્ર્ય સેનાની, હરિયાળી ક્રાંતિના પ્રણેતા. | તામિલ નાડુ |
૩૫. | જયપ્રકાશ નારાયણ # | ![]() |
૧૯૦૨–૧૯૭૯ | ૧૯૯૮ | સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સેવક. | બિહાર |
૩૬. | પંડિત રવિ શંકર | ![]() |
જ. ૧૯૨૦ | ૧૯૯૯ | પ્રખ્યાત સિતાર વાદક. | ઉત્તર પ્રદેશ |
૩૭. | અમર્ત્ય સેન | ![]() |
જ. ૧૯૩૩ | ૧૯૯૯ | નોબૅલ વિજેતા (અર્થશાસ્ત્ર,૧૯૯૮), અર્થશાસ્ત્રી. | પશ્ચિમ બંગાળ |
૩૮. | ગોપીનાથ બોરદોલોઈ # | ![]() |
૧૮૯૦–૧૯૫૦ | ૧૯૯૯ | સ્વાતંત્ર્ય સેનાની. | આસામ |
૩૯. | લતા મંગેશકર | ![]() |
જ. ૧૯૨૯ | ૨૦૦૧ | પાશ્વ ગાયિકા. | મહારાષ્ટ્ર |
૪૦. | બિસ્મિલ્લાહ ખાન | ![]() |
૧૯૧૬-૨૦૦૬ | ૨૦૦૧ | શાસ્ત્રીય શરણાઇ વાદક | બિહાર |
૪૧. | ભીમસેન જોશી | ![]() |
૧૯૨૨-૨૦૧૧ | ૨૦૦૯ | શાસ્ત્રીય ગાયક | કર્ણાટક |
૪૨. | સી.એન.આર.રાવ | ![]() |
જ.૧૯૩૪ | ૨૦૧૪ | વૈજ્ઞાનિક |
|
૪૩. | સચિન તેંડુલકર | ![]() |
જ.૧૯૭૩ | ૨૦૧૪ | ક્રિકેટર | મહારાષ્ટ્ર |
૪૪. | મદન મોહન માલવીયા # | ![]() |
૧૮૬૧-૧૯૪૬ | ૨૦૧૫ | શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી |
|
૪૫. | અટલ બિહારી વાજપેયી | ![]() |
૧૯૨૪-૨૦૧૮ | ૨૦૧૫ | ભારતનાં ભૂતપૂર્વ વડા પ્રધાન - (૧૯૯૬), (૧૯૯૮), (૧૯૯૯-૨૦૦૪), કવિ |
|
૪૬. | પ્રણવ મુખર્જી | ![]() |
૧૯૩૫-૨૦૨૦ | ૨૦૧૯ | ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ (૨૦૧૨ થી ૨૦૧૭) |
|
૪૭. | નાનાજી દેશમુખ # | ![]() |
|
૨૦૧૯ | આરએસએસ વિચારક |
|
૪૮. | ભુપેન હજારિકા # | ![]() |
|
૨૦૧૯ | મહાન ગાયક અને સંગીતકાર | આસામ |