Latest Posts



મહારાજા એક્સપ્રેસ: 
 



મહારાજા એક્સપ્રેસમાં યાત્રા માટે પાંચ રીતના પેકેજ છે. ટ્રેન પેકેજમાં દર્શાવેલ સ્ટેશનો ઉપર જ ઉભી રહે છે. યાત્રી ત્યાં ફરી શકે છે અને સમય અનુસાર ટ્રેનમાં પરત ફરે છે.


આ ટ્રેન દિલ્હી કે મુંબઇથી લઇને આગ્રા,ફતેહપુર સીકરી, ગ્વાલિયર, રણથંભોર, વારાણસી, લખનઉં, જયપુર, બીકાનેર, ખજુરાહો, ઉદયપુર સ્ટેશનો ઉપર ઉભી રહે છે.


દેશની લક્ઝરી ટ્રેનોમાંથી એક મહારાજા એક્સપ્રેસમાં એક દિવસનું ભાડુ 40 હજાર રૂપિયાથી લઇને 1.25 લાખ સુધીનો હોય છે.


ટ્રેનમાં યાત્રીઓ માટે ઉઘવા માટે 14 કેબિન છે જેમાં દરેક કેબિનમાં ફોન, એલસીડી ટીવી, ડીવીડ પ્લેયર, ઇન્ટરનેટ, ઇલેક્ટ્રોનિક લોકર, દરેક કેબિનમાં બાથરૂમ પણ છે. 23 બોગીઓ વાળી મહારાજા એક્સપ્રેસમાં 88 લોકો યાત્રા કરી શકે છે.

વધુ માહિતી માટે ક્લિક કરો: મહારાજા એક્સપ્રેસની મહા સવારી
 






    અવુલ પાકીર જૈનાલબ્દીન અબ્દુલ કલામનો જન્મ ૧૫ ઓક્ટોબર,૧૯૩૧ના થયો હતો.તેમણે દેશના ત્રણ સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત કરવાનું ગૌરવ મેળવેલ છે: ૧૯૮૧ માં પદ્મભૂષણ,૧૯૯૧માં પદ્મવિભૂષણ અને ૧૯૯૭માં ભારત રત્ન. મિસાઇલ મેન તરીકે જાણીતા ભારતના 11માં રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું 27 જુલાઇ 2015એ શિલોંગ ખાતે નિધન થયું. તેઓ જ્યારે શિલોંગમાં આઇઆઇએમમાં લેક્ચર આપી રહ્યાં હતા ત્યારે અચાનક ઢળી પડ્યાં હતા.


   એ.પી.જે.અબ્દુલ કલામ જુલાઈ ૨૦૦૨માં ભારતના ૧૧માં રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા તે પહેલા તેઓ સંરક્ષણ અને અવકાશ સંસોધનના ક્ષેત્રમાં મુખ્ય વિજ્ઞાનીની ભૂમિકા નિભાવી ચુક્યા હતા.દેશના પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ યાનના વિકાસમાં તેમનું જવાબદારીભર્યું યોગદાન અવિષ્મરણીય છે. તેમણે ઈસરો અને ડીઆરડીઓમાં વિવિધપદો શોભાવ્યા.તે સાથે તેઓ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પણ રહ્યા.થોડો સમય તેઓ ચેન્નાઈની અન્ના યુનીવર્સીટીમાં પ્રોફેસર પણ રહ્યા.અબ્દુલ કલામનું જીવન હવે તેમનાજ શબ્દોમાં.

અખબારો ભેગાં કરી હું એ ઘરે ઘરે પહોંચાડતો

   હું સવારે ચાર વાગ્યે મારા શિક્ષક શ્રી સ્વામીયર પાસે ગણિત શીખવા જવા ઉઠી જતો.તે એક વિશિષ્ટ ગણિત શિક્ષક હતા અને વર્ષ દરમિયાન માત્ર પાંચ વિદ્યાર્થીઓને મફત ટ્યુશન આપતા.આ બધા વિદ્યાર્થીઓ માટે તેમની એક આકરી શરત રહેતી તે એ હતી કે તે બધા તેમની પાસે સવારે પાંચ વાગ્યે સ્નાન કરી શીખવા આવે.હું જયારે ટ્યુશનમાંથી પાછો આવતો ત્યારે મારા પિતા મને નમાજમાં લઈ જવા તથા મદ્રેશામાં કુરાને-શરીફ શીખવા લઈ જવા રાહ જોતા હોય.તે પૂરું કર્યા પછી હું  ત્રણ માઈલ દુર આવેલ રામેશ્વરમ રોંડ રેલ્વે સ્ટેશને છાપાના બંડલ લેવા પગે જતો જે ધનુષકોડી મેલ પ્રસાર થાય તેમાંથી ફેકાયા હોય.આ છાપા લઈ સમગ્ર રામેશ્વરમમાં ફરી વળતો.આખા શહેરમાં છાપા વ્હેચનાર હું પ્રથમ હોઉં.ત્યાર પછી આઠ વાગ્યે હું ઘેર પાછો આવતો.મારી માં હું અભ્યાસ અને કામ સાથે સાથે કરતો હોવાથી મારા બીજા ભાઈ બહેનો કરતા મને ભલે સાદો પણ વધારે નાસ્તો આપતાં.સાંજે શાળા પૂર્ણ થયા પછી હું ફરી ગ્રાહકો પાસેથી પૈસા ઉગરાવવા નીકળતો.
     તે દિવસો દરમિયાન બનેલ એક ઘટના આજે પણ મારા મનમાં તાજી છે.મારા બધા ભાઈ બહેનો સાથે હું પણ ભોજન કરતો હતો અને મારીમાં મને રોટલી આપ્યેજ જતા હતા(અમે ચોખા ખાનાર લોકો હતા અને ચોખા પૂરતા મળતા નહોતા,પણ ઘઉંનું રેશનીંગ હતું) મેં જયારે ભોજન પૂરું કર્યું ત્યારે મારા મોટાભાઈએ મને એક ખૂણામાં લઈ જઈ ઠપકો આપ્યો કલામ,તને ખબર છે કે શું બની રહ્યું છે?તું રોટલી ખાધે રાખતો હતો અને માં તને આપ્યે રાખતી હતી તેને પોતાની બધી રોટલી આપી દીધી.અત્યારે ખુબ તકલીફભર્યો સમય ચાલે છે.તારે એક જવાબદાર પુત્ર બનવાની જરૂર છે અને માને ભૂખી મત રાખ.પ્રથમ વાર હું અંદરથી ધ્રુજી ઉઠ્યો અને મારી જાત પર કાબુ ના રાખી શક્યો.હું મારી માં પાસે દોડી ગયો અને તેને વળગી પડ્યોહું ભણતો એ દિવસોમાં કેરોશીનના ફાનસનો ઉપયોગ થતો હતો.કેરોશીન પૈસા આપી ખરીદવું પડતું એટલે ઘરમાં ફાનસ માત્ર સાંજે સાતથી નવજ સળગાવવામાં આવતું,પરંતુ ભણવા તરફનો મારો ઝોક જોઇને માએ મારે માટે એક નાનકડું ફાનસ ખરીદેલું, જેના અજવાળે હું રાતે ૧૧ સુધી ભણી શકતો.મારી માએ બાળપણમાં મને સાથ ન આપ્યો હોતતો હું અહી સુધી ક્યારેય  પહોચી ન શકત.
        અબ્દુલ કલામે નીચે મુજબ પુસ્તકો પણ લખ્યા છે 




           
    










                                                  ભારતીય મૂળની પ્રથમ  મહિલા અવકાશયાત્રી 
                                              કલ્પના ચાવલાનું છેલ્લું ઉદ્દયન 
             ૨૦૦૩ની પહેલી ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકેથી પરત ફરી રહેલું અવકાશયાન કોલંબીયા પુથ્વી ઉપર પહોચવાની માત્ર ૧૬ મિનીટ પહેલા જ તૂટી પડ્યું હતું અને તેમાં સવાર ભારતીય મૂળની અમેરિકન મહિલા કલ્પના ચાવલા સહિત સાત અવકાશ વિજ્ઞાની મુત્યુ પામ્યા હતા એ ગોજારી ઘટનાને આજે ૯ વર્ષ પુરા થયા.આ ઘટનાના ફ્લેશબેકમાં જઈએ તો અવકાશયાનમાં મુત્યુ પામેલ ભારતીય મૂળની અમેરિકન મહિલા કલ્પના ચાવલાનો જન્મ ૧ જુલાઈ ૧૯૬૧માં હરિયાણાના કરનાલમાં થયો હતો.અગ્રણી ભારતીય પાયલોટ અને ઉદ્યોગપતી જેઆરડી તાતાથી પ્રેરાઈને અવકાશયાત્રી બનવાનું સ્વપ્ન તેને જોયું હતું.કલ્પના ચાવલા રોજ રાત્રે અવકાશમાં જોઈ રહેતી અને મજબુત ધ્યેય બાંધતી કે મારે એક દિવસ અવકાશમાં ઉડવું છે.એના બુલંદ ઈરાદાઓ અને ઇસ્વરની   અખૂટ શ્રદ્ધાએ તેનો ધ્યેય પાર પાડ્યો હતો.
        કલ્પનાએ ટાગોર પબ્લિક સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું.સન ૧૯૮૨માં ચંડીગઢમાં આવેલ પંજાબ એન્જીનીયરીંગમાં વધુ અભ્યાસ કર્યો અને ૧૯૮૪માં ટેક્સાસ યુનિવર્સીટીમાં એરોસ્પેસ એન્જીનીયરીંગમાં માસ્ટર ઓફ સાયંસની ડીગ્રી લીધી હતી.૧૯૮૮માં કલ્પના ચાવલાએ નાસાના એમ્સ રીસર્ચ સેન્ટરમાં કામ શરૂ કર્યું હતું.૧૯૯૪માં કલ્પના ચાવલાની નાસા દ્વારા પસંદગી કરવામાં આવી હતી અને માર્ચ ૧૯૯૬માં અવકાશયાત્રી તરીકે ચાર હજાર અરજી કરનારમાંથી ૧૫ જણા પસંદગી પામ્યા હતા અને તેમાં કલ્પના ચાવલાનો સમાવેશ થયો હતો.
         કલ્પના ચાવલાની પ્રથમ ઉડાન એસટીએસ ૮૭ શટલમાં પૂરી થઈ હતી.૧૯ નવેમ્બર ૧૯૯૭થી ૫ ડીસેમ્બર ૧૯૯૭ના સમયગાળામાં રોબોટીક્સ,વાતાવરણના દબાણ વગર શરીર પર થતીં અસર અંગેની કામગીરી પર ભાર આપવામાં આવ્યો હતો.અવકાશમાં  
આ સ્પેસશટલે ૨૫૨ વાર પુથ્વીની પરિક્રમા કરી હતી અને ૩૭૬ કલાક ૩૪ મિનીટ અવકાશમાં રહ્યું હતું.આમ કલ્પના ચાવલા ભારતની પ્રથમ અવકાશયાત્રી બની.૭મી ડીસેમ્બર ૧૯૯૭ના દિવસે કલ્પના ચાવલા જયારે અવકાશમાં પોતાની કામગીરી સફળ રીતે પાર પાડી પરત આવી ત્યારે તેની જન્મભૂમી કરનાલ રોશનીથી  ઝબૂકી ઉઠી હતી.કર્મભૂમી નાસામાં સૌએ તેનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.તેના અવકાશી સાથીદારોએ તેને અભિનંદન આપતા કહ્યું હતું કે કે.સી.(તેનું હુલામણું નામ છે) તું અમારા બધાથી જુદી નથી ભલે તું આ ધરતી પર જન્મી નથી.શાબાસી અને અભિનંદનોની વર્ષા વચ્ચે કલ્પના ઘેરાઈ ગઈ હતી.આખરે કલ્પનાની કલ્પના સાકાર થઈ હતી.
     કલ્પના ચાવલાની બીજી અને છેલ્લી ઉડાન ૧૬ જાન્યુઆરી ૨૦૦૩ના સ્પેસશટલ કોલમ્બિયાથી શરૂ થઈ હતી.આ ૧૬ દિવસનું અવકાશ મિસન હતું અને જીવજંતુઓ પર વિવિધ પ્રયોગ અનાજના દાણાનું જીનેટિક ટ્રાન્સફર પર આધારિત આ મિશનમાં અવકાશયાત્રીઓએ ૮૦ પરીક્ષન  અને પ્રયોગ પુરા કર્યા હતા.કલ્પના ચાવલાની બીજી ઉડાન જોવા માટે તેના માતા-પિતા અને બન્ને બહેનો ભારતથી અમેરિકા ગયા હતા અને તેના પરત પુથ્વી પર આવી રહ્યા હતા ત્યારે યાનમાં ખામી સર્જાતા પુથ્વી પર પહોચવાની ૧૬ મિનીટ પહેલા જ ૧ ફેબ્રુઆરી ૨૦૦૩ના દિવસે અવકાશયાન દુર્ઘટનાગ્રસ્ત થતા કલ્પના ચાવલા સહીત છ અવકાશયાત્રીઓના મોત થયા હતા.
        સ્પેસશટલ કોલમ્બિયાની ૧ ફેબ્રુઆરીના દિવસની અંતિમક્ષણોનું તબક્કાવાર વર્ણન નાસાએ તૈયાર કરેલા ૪૦૦ પેજના અહેવાલમાં કરવામાં આવ્યું છે.અહેવાલ મુજબ અવકાશયાત્રીઓ દુર્ઘટનાની અંતિમક્ષણો સુધી સંભવિત જોખમથી અજાણ હતા.કોલમ્બિયાના ક્રુ મેમ્બર્સને પ્રથમ ચેતવણી કેબીન એલાર્મ દ્વારા મળી હતી.આ પછી અવકાશયાત્રીઓ પાસે નિર્ણય લેવા માટે માત્ર ૪૧ સેકંડ બચી હતી.સ્પેસશટલને પરત લઈ જવા માટેના મરણીયા  પ્રયાસો કરતા પાયલટ વિલિયમ મેક્કુલમે કંટ્રોલ પેનલના બટન અનેક વખત દબાવ્યા હતા અને સમગ્ર સીસ્ટમને રીસ્તાટ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો.જો કે  આ સમય દરમ્યાન સ્પેસશટલની ગરમી સામે રક્ષણ આપતી હીટશિલ્ડમાં તિરાડ પડી ચુકી હતી અને ટેક્સાસથી ૨,૦૦,૦૦૦ ફૂટ ઉંચે અવકાશમાં દુર્ઘટના સર્જાઈ હતી.દુર્ઘટના એટલી ઝડપથી બની હતી કે એક પણ અવકાશયાત્રીને તેમના હેલ્મેટમાંથી જોવા માટેની બારી બંધ કરવાનો પણ સમય મળ્યો ન હતો અને એક સભ્યએ તો હેલ્મેટ પણ પહેર્યું ન હતું.અવકાશયાત્રીઓ જે કંપારમેન્ટમાં હતા તે તૂટવામાં ૨૪ સેકંડનો સમય લાગ્યો હતો.નાસાના સ્પેસક્રાફ્ટ ક્રુ સર્વાઈવલ ઈન્વેસ્ટીગેશન ટીમનું કહેવું હતું કે દુર્ઘટનામાં કોઈની બચવાની શક્યતાઓ નહતી.આ હતભાગી સ્પેસશટલમાં કલ્પના ચાવલા અને મેક્કુલ ઉપરાંત રીક હસબન્ડ,માઈક એન્ડરસન,ડેવિડ બ્રાઉન,લોરેલ ક્લાર્ક અને ઈઝરાયલી અવકાશયાત્રી ઇયાન રેમોલ સામેલ  હતા.
          કલ્પના ચાવલાને મરણોપ્રાંત કોગ્રેશનલ સ્પેસ મેડલ,નાસા સ્પેસ ફલાઈટ મેડલ અને નાસા શ્રેષ્ઠ સર્વિસ મેડલ મળી ચુક્યા છે.